પોસ્ટ્સ

સ્વયં-શિક્ષણ

છબી
  " શિક્ષણ એક એવું ધન રહ્યું છે જે હંમેશા ખર્ચતા વધતું,       ખરું શિક્ષણ કહીએ જે સ્વયં સાથે પ્રતિભા ખિલવતું "             જય વસાવડા સાહેબનું એક પુસ્તક વાંચેલ " સુપર હીરો સરદાર - ભારતના અસલી આયર્ન મેન "  એમાંથી એક સુંદર ટોપિક મારા હાથમાં આવ્યો જે તમે લખાણના શીર્ષકમાં જોઈ શકો છો...              સરદાર પટેલને જ્યારે ગુજરાતી પ્રાથમિક શાળામાં બેસાડવામાં આવે છે ત્યારે તેમને જે શિક્ષક મળે છે તે ખૂબ આળસુ હોય છે તે બસ બાળકને ભણાવે નહિ માત્ર રૂમમાં આરામ ફરમાવવો, બાળક કંઇક પ્રશ્ન કરે તો કહે કે તમે જાતે માંય માંય ( અંદરો અંદર ) ભણી લો. આજ છેલ્લું વાક્ય સરદારના જીવનનો પ્રથમ પાઠ મનાય છે, એમને થયું કે આ જીવનમાં જે પણ કાંઈ કરવાનુ છે એ સ્વયં જ કરવાનુ છે.              સરદારને આ શિક્ષક તરફથી એટલું જરૂરથી શીખવા મળ્યું કે આપણે જ આપણા ગુરુ. જે કંઈ પણ નવું શીખવાની ઝંખના થાય તો તે જાતે જ શીખવું, ભણવું, આપણી ભૂલો આપણે જાતેજ સુધારતા રહેવું અને તેના પરથી નવું જાણવુ...

મહાશિવરાત્રી

છબી
ૐ નમઃ શિવાય મહા શિવરાત્રી એટલે મહાદેવનો મહા દિવસ. શિવરાત્રી તો દર મહિને આવે છે પરંતુ મારા મહાદેવની મહાશિવરાત્રી  વર્ષમાં એક જ વખત આવે છે. મહા શિવરાત્રીનો દિવસ એટલે મહા વદ તેરસ. શંકર - ભોળાનાથના અસંખ્ય નામો છે, કેમકે તે ભગવાન છે યાર તેમને અસંખ્ય કાંડ કરેલા હોય તેથી તેમના નામ પણ જાજા જ હોવાના.            મિત્રો, ભારતમાં શિવ જ્યોતિર્લિંગ સ્વયંભૂ 12 પ્રગટ થયેલ છે, જેમાંથી સોમનાથનું જ્યોતિર્લિંગ આજ દિવસે પ્રગટ થયું હતું, અને આપણા અહો ભાગ્ય કે તે જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે. જેના ઈતિહાસ પ્રમાણે 16 વખત તે મંદિર પર આક્રમણ થયેલ છે.        મિત્રો, આપણે મહાશિવરાત્રિ ના પાવન પ્રસંગની વાત કરીએ તો આ દિવસનો મહિમા અપરંપાર છે, પ્રાચીન સમયની હિન્દુ ધર્મની પરંપરા અનુસાર ધાર્મિક ભાવિ ભક્તો પૂજા માટેની સામગ્રી જેમકે બીલીપત્ર, ધતુરાના ફૂલ, રુદ્રાક્ષ, દૂધ વગેરે સામગ્રી ભેગી કરી મહાદેવની પૂજા અર્ચન આરતી કરિકરી તેમને પાણી તેમજ દૂધનો અભિષેક કરે છે કેટલાક લોકો મહાદેવનો પ્રસાદ ભાંગ પણ લે છે આ રીતે હિન્દુ ધર્મ અનુસાર પૂજા કરી ભગવાન શિવને આરાધે છે....

અસત્ય સામે સત્યનો વિજય

છબી
          નમસ્તે મિત્રો આજે આપણે આપણા સાંસ્કૃતિક વારસામાં હોળી વિશે વાત કરવાના છીએ...     હોળી : આ એક ભારતીય તહેવાર છે જે વસંતઋતુ માં ઉજવવામાં આવે છે, અને હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે.        રંગોનો તહેવાર એટલે હોળી - ધુળેટી જે બે દિવસ મનાવવામાં આવે છે. પ્રથમ દિવસે હોળીકા નું દહન કરવામાં આવે છે અને બીજા ધુળેટી એટલે કે રંગ ગુલાલ એક બીજાને છાંટવામાં આવે છે અને આનંદ ઉલ્લાસથી આ દિવસ દરેકનો પસાર થાય છે...એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે પૂતના નો વધ પણ કરેલ આથી ગોકુળમાં પણ આ દિવસે રંગ ગુલાલ થી ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસે પ્રકૃતિ પણ સાથ આપે છે, વૃક્ષો લીલાછમ, કેસુડા ની કળીઓ, ધરતી પણ આ રંગમાં ભીંજવવા માંગે છે એવું દેખાય છે.          કેટલીક દંત કથા અનુસાર હું તમને અહી પ્રાચીન સમયની એક કથા રજૂ કરું છું ખૂબ મજા આવશે તમે અંત સુધી એને વાંચજો, તો ચાલો વિગતવાર જોઈએ.          પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામે એક બાહુબલી અસુર રહેતો હતો, એ એવું માનતો કે હું જ...

ભૂલકાંઓ

છબી
                ભૂલકાંઓ એટલે કે નાના બાળ, આજ એજ નાના બાળક જેને આપણે સૌ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, અને ખરેખર છે એ ભગવાનનું સ્વરૂપ છે, જ્યારે એ કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કે અન્ય કોઈ પ્રોગ્રામમાં કૃષ્ણ, ગણેશ, ભગવાન શિવ, માં સરસ્વતી વગેરેનો વેશ ધારણ કરે છે ત્યારે તે જાણે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હોય એવું લાગે છે. મિત્રો, ભૂલકાંઓ વિશે આગળ વાત કરીએ તો તે ખુબજ રસપ્રદ અને જાણવા લાયક છે.           એક નાનું બાળક જ્યારે કોઈના ઘરે અવતરે છે(જન્મે છે) ત્યારે ઘરના દરેક સભ્યોના મોઢા પર અપાર ખુશી જોવા મળે છે, એ સ્વાભાવિક છે, કેમકે દરેકને એમ કે ઘરમાં એક સભ્ય ઉમેરાયું, જેના કારણે આખું ઘર જાણે રોશનીથી ઝળહળી ગયું હોય, એ ભૂલકાને રમાડવું, એને વ્હાલ કરવો, તેને હગ કરવું, તેની સાથે તેની કાલી કાલી ભાષા માં વાતો કરવી આ બધું કરવામ તેને સારું લાગે જ છે, તે તો આનંદિત થાય જ છે પરંતુ આપણને પણ તેનો વ્હાલ અંતર આત્મા થી આનંદિત કરી દે છે.             બાળક એ ભગવાનનું અનેરું સ્વરૂપ છે , બની શકે તો તેની સાથે થોડો સમ...

ડાયરી

છબી
        આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમનો જન્મ 14 માર્ચ 1879 જર્મની ખાતે અને ઉછેર અમેરિકામાં થયેલો છે, જે વર્લ્ડ જીનીયસ વ્યક્તિ ગણાય છે જેના વિશે આપણે સ્કૂલ ટાઈમમાં પાઠ પણ ભણેલા છીએ, એક શોધ વિશે કહીશ તો તમને નામ ખબર પડીજ જશે... E=MC square મિત્રો ઉપર જે સૂત્ર આપ્યું છે એ વ્યક્તિનું નામ છે આલ્બર્ટ આઈસ્ટાઈન     તેમને જે શોધ કરેલ એ ઉપરથી એ વિશ્વ વિખ્યાત બનતા ગયા, દેશ વિદેશથી એમને આમંત્રણ મળવા લાગ્યા, એક દિવસ અમેરિકાના એક શહેરમાં એમને આમંત્રણ હતું, એમને એક શહેરમાંથી બીજા શહેરમાં જવા લોકલ ટ્રેનમાં મુસાફરી કરી, જે ટ્રેનમાં એ મુસાફરી કરતા હતા, એજ ટ્રેનમાં રહેલો એક વ્યક્તિ આઈસ્ટેઇન ને ઓળખી ગયો, એ વખતે મીડિયા અથવા ટીવી તથા ઇન્ટરનેટ માધ્યમ એટલું બધું સક્રિય ન હોતું, આથી ટ્રેનમાં રહેલો એક જ વ્યક્તિ તેમને ઓળખી ગયો...એ એમના નજીક જઈને બોલ્યો, કે શું તમારું નામ જ આઇસ્ટાઈન... સામેથી જવાબ મળ્યો હા હું આઇસ્ટાઈન. તે વ્યક્તિ દુનિયાના જીનીયસ માણસને મળીને ખૂબ આનંદિત થઈ ગયો અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જોડે એમના ઓટોગ્રાફ માગ્યો, આલ્બર્ટ આઇન્સ્ટાઇને નમ્ર ભાવે પો...